કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૭-૨૮ ઓક્ટોબરના રોજ આયોજીત મીડીયા વર્કશોપનું ઉદઘાટન કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા શ્રી અજય માકન કરશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતના ૪૦ થી વધુ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મીડીયાની કામગીરી સંભાળતા અને આઈ.ટી. સેલ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ. સાથે કુલ ૧૨૫ ડેલીગેટો માટે તા. ૨૭-૧૦-૨૦૧૩ અને તા. ૨૮-૧૦-૨૦૧૩ બે દિવસના મીડીયા વર્કશોપનું ‘રાજીવ ગાંધી ભવન’ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જશ્રી હિમાંશુ વ્યાસે બે દિવસીય મીડીયા વર્કશોપની માહિતી આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રવક્તાઓના બે દિવસીય મીડીયા વર્કશોપનું ઉદઘાટન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા માનનીય શ્રી અજય માકનજી તા. ૨૭-૧૦-૨૦૧૩ ના રોજ સવારે ૯-૩૦ કલાકે ‘રાજીવ ગાંધી ભવન’ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે કરશે. મીડીયા વર્કશોપનું અધ્યક્ષ સ્થાન ગુજ રાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સંભાળશે.